આપણા દેશના જવાનો કોઈપણ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરતાં હોય છે. આપણે જ્યારે ઘરમાં આરામથી બાળકો સાથે રમતાં હોઈએ છીએ. ત્યારે તે પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશની રક્ષા કરવા માટે સરહદ પર દુશ્મનોનો સામનો કરતાં હોય છે.
જે પણ વ્યક્તિ આર્મીમાં નોકરી કરતો હોય તેને ગમે તે સમયે ગમે ત્યાં બોર્ડર પર ડ્યુટી કરવી પડતી હોય છે. અને તે ડ્યુટીમાં તેમને તડકો, છાંયડો, ઠંડી, વરસાદ, અતિશય વરસાદ, વાવાઝોડાં વગેરે જેવી કુદરતી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે.
પરંતુ સાથે તમને એક વસ્તુ જાણીને નવાઈ લાગશે કે આપણાં દા-રૂબંધીના ગુજરાતમાં આર્મીના વ્યક્તિને દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે. તે કાયદેસર પોતાની પાસે દા-રૂની બોટલ રાખી શકે છે. અને તેને કોઈ રોકી શકતું નથી. તો આવું શા માટે? શા માટે આર્મીમાં જોડાયેલા વ્યક્તિને દા-રૂની છૂટ આપવામાં આવે છે. ચાલો જાણીએ.
આગળ જણાવ્યું એમ સેનાના જવાનને ગમે તેટલી સરહદ પર ઠંડી હોય તેને પોતાની ડ્યુટી કરવી પડતી હોય છે. તેમની માટે દિવસ-રાત સરખાં માનવામાં આવે છે. એટલે તેમના શરીરને ગરમાવો મળે, બોડી ગરમ રહે તે માટે દા-રૂ પીવાની છૂટ આપવામાં આવે છે.
આપણે સૌ જાણીએ છીએ. દા-રૂ શરીર માટે હાનિકારક છે. તેમ છતાં દેશની રક્ષા કરતાં સેનાના જવાનને પીવાની છૂટ આપવામાં આવે છે. કારણ કે, જવાનોને શરીર પાસેથી વધુ પ્રમાણમાં કામ લેવું પડે છે, તેના માટે આલ્કોહોલ થોડી મદદ કરી શકે છે.
સૌ પ્રથમ તો તમને જાણીને નવાઈ લાગશે કે સેનાનો કોઈપણ વ્યક્તિ દા-રૂની બોટલ ખરીદે તો તેની પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આવું શા માટે.
આર્મીના માણસોને ઘણી તકલીફોનો સામનો કરીને નોકરી કરવી પડતી હોય છે. તેવી પરિસ્થિતિમાં જો શરીર ઠંડું થઈ જાય તો તે સરહદ પર ટકી શકે નહીં એટલા માટે જે પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય તે મુજબ દા-રૂ પીવાની છૂટ હોય છે.
દેશનો દરેક વ્યક્તિ જાણે છે કે સેનામાં કામ કરતો જવાન વર્ષો સુધી અમુક સમયે ઘરે આવતો નથી. એટલે કે પરિવારથી તેને દૂર રહેવું પડતું હોય છે. તો વીકમાં જ્યારે તેમને રજા હોય ત્યારે તેમને એકલવાયું ન લાગે અને પોતાનો દિવસ પસાર કરી શકે તે માટે પણ પીવા દેવામાં આવતો હોય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ આ રુલ્સ આર્મીમાં ફોલો કરતાં હતાં. અને હવે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પણ તેમને દા-રૂ આપવામાં આવે છે.
એક ખાસ વાત કે દા-રૂ પીવાની છૂટ આપવામાં આવી એટલે તમારી ઇચ્છા હોય તેટલો દા-રૂ પી શકાતો નથી. તેમને અમુક પ્રમાણમાં આપવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિએ વધારે દા-રૂ પીધો હોય તો તેની સામે કાનૂની કાર્યવાહી કરતાં હોય છે. અને જો કોઈ વખત અતિશય દા-રૂ પીવે તો કોર્ટ માર્શલ પણ તે લોકો કરી નાખતા હોય છે.