જ્યોતિષશાસ્ત્રમાં રાશિ પ્રમાણે સોનું, ચાંદી, તાંબુ, કાંસ્ય વગેરે ધાતુ પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ તમામ ધાતુઓનું અલગ અલગ મહત્વ છે, આજે આપણે જાણીશું સોનાની ધાતુ વિશે.
જ્યોતિષમાં સોનું પહેરવાના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે, જો તેને તર્જનીમાં પહેરવામાં આવે તો વ્યક્તિની એકાગ્રતા વધે છે.
આ સિવાય કેટલીક રાશિના લોકો માટે સોનું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે સોનાની ધાતુ વિશેષ શુભ હોય છે, આ રાશિના લોકોનું નસીબ વધારવા માટે સોનાની ધાતુ પહેરવાની સલાહ આપવામાં આવે છે.
કન્યા
કન્યા રાશિના લોકો લક્ઝરી લાઈફના શોખીન હોય છે અને પોતાનો શોખ પૂરો કરવા માટે તેમને સોનું પહેરવાની સલાહ આપવામાં આવે છે.
તુલા
જો તુલા રાશિના લોકો સોનાની ધાતુ ધારણ કરે છે તો તેમનું ભાગ્ય પલટાઈ જાય છે, તેમને ખાસ કરીને સોનાની વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે.
Tags:
ધર્મ