આપણે દરેક મિત્રો જાણીએ જ છીએ કે ગુજરાતમાં ઘણા બધા ફેમસ અને પ્રખ્યાત કલાકારો આવેલા છે, દરેક ગાયક કલાકારો તેમના અવાજ અને સુરથી ખુબ જ જાણીતા છે, દરેક ગાયક કલાકારોના લાખોની સંખ્યામાં ચાહક મિત્રો પણ રહેલા છે, તેથી દરેક ગાયક કલાકારો તેમના ચાહક મિત્રોને ખુશ કરવા માટે ગીતો પણ ગાતા હોય છે.
તેથી હાલમાં ઘણી બધી જગ્યાએ ભાગવત સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું છે, તેથી ઘણા સપ્તાહમાં ઘણા ગુજરાતી કલાકારોએ એવી રમઝટ બોલાવી હતી કે કાર્યક્રમમાં હાજર બધા જ ગુજરાતી ગાયક કલાકારો ખુબ જ ખુશ થઇ ગયા હતા, હાલમાં જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પર ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડાયરાની રમઝટ બોલાવવા માટે દેવાયત ખવડને બોલાવવામાં આવ્યા હતા અને આ ડાયરાના કાર્યક્રમમાં ઇન્દ્રભારતી બાપુએ પણ હાજરી આપી હતી, આ કાર્યક્રમમાં હાજર બધા લોકોને દેવાયત ખવડે લોકગીતો અને સાહિત્યની વાતો કરીને દરેક લોકોને મંત્રમુક્ત કરી દીધા હતા, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
દેવાયત ખવડેએ આ ડાયરાના કાર્યક્રમમાં એવી ભવ્ય રમઝટ બોલાવી હતી કે કાર્યક્રમમાં હાજર બધા લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા અને ઉભા થઈને કાર્યક્રમમાં નોટોનો વરસાદ કરવા લાગ્યા હતા,
તે સમયે ડાયરાના કાર્યક્રમમાં હાજર ઇન્દ્રભારતી બાપુએ પણ ઉભા થઈને દેવાયત ખવડ પર વરસાદ કર્યો હતો, આ ડાયરામાં દેવાયત ખવડે એવી રમઝટ બોલાવી હતી કે થોડી જ વારમાં સ્ટેજ પર નોટોની ચાદર પથરાઈ ગઈ હોય તેવું થઇ ગયું હતું, ડાયરાના કાર્યક્રમમાં હાજર બધા જ લોકોએ કાર્યક્રમની ખુબ જ મજા કરી હતી.