સુરત ના ઉદ્યોગપતિ અને તાજેતર માં જ જેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે એવા સવજીભાઈ ધોળકિયા હંમેશા પ્રજાલક્ષી કામ માટે ચર્ચા માં રહે છે સમાજ ને ઉપયોગી થવા માટે સવજીભાઈ હંમેશા આગળ રહેતા હોય છે ત્યારે તાજેતર માં જ સવજીભાઈ નો જન્મ દિવસ હતો ત્યારે વતન દુધાળા માં સવજીભાઈ એ અનોખી ઉજવણી કરી હતી અને ફરી એક વાર ખેડૂત ને રાહ ચીંધી હતી
અમરેલી જિલ્લાના લાઠીમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ પોતાના જન્મદિવસે એક સાથે 6 હજાર જેટલા કાશ્મીરી સફરજનના રોપાનું વાવેતર કર્યું હતું.સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત કાશ્મીરી સફરજનની ખેતી કરવામાં આવી છે.ગુજરાત માં પણ આટલા મોટા પ્રમાણમાં સફરજનના વાવેતરનો સૌ પ્રથમ પ્રયોગ સવજીભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવ્યો છે.
ઉદ્યોગ પતિ સવજીભાઈ ધોળકિયાએ અનોખો પ્રયાસ પોતાના વતનમાં કર્યો છે. ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા દર વર્ષે પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરતા હોય છે. ત્યારે પદ્મ શ્રી સવજીભાઈ ધોળકિયાએ પોતાના 60માં જન્મદિવસે લાઠીમા 6000 રોપા વાવવાનું પ્રણ લીધુ હતું અને એ પણ કાશ્મીરી સફરજનની અનોખી પહેલ તેમના દ્વારા કરવામાં આવી છે.
સવજીભાઈ ધોળકિયાએ 6000 સફરજનના રોપા વાવવાનું બિડુ ઝડપ્યુ છે. ગુજરાતમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં સફરજનના રોપા વાવવામાં આવ્યા છે. કાશ્મીરના ઠંડા પ્રદેશમાં મોટા ભાગે જોવા મળતા સફરજન થોડા સમય પછી અમરેલીના લાઠીમાં જોવા મળે તો નવાઇ નહી. 6000 રોપા વાવવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સવજીભાઈ ધોળકિયાના આ પ્રયાસને લોકોએ બિરદાવ્યો હતો. સવજીભાઈ ધોળકિયાએ 6000 રોપા વાવવાની સાથે પોતાના જન્મદિવસે તેનું જતન કરવાનું પણ નક્કી કર્યુ છે. મોટા ભાગે સફરજન ઠંડા પ્રદેશમાં થતા હોય છે પરંતુ અનોખી જાત હવે લાઠીમાં તૈયાર થશે. ગુજરાતમાં આ સૌ પ્રથમ ઘટના છે. જેમાં 6000 જેટલા સફરજનના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. લાઠીના દુધાળા નજીક સવજીભાઈ ધોળકિયાના ફાર્મ હાઉસ પર આ સફરજનનું વાવેતર કરવામાં આવ્યું છે જે માટે તનતોડ મહેનત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સવજીભાઈ ધોળકિયાના ફાર્મ પરના આંબાવાડીમાં અલગ-અલગ જગ્યાઓ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. બંને બાજુથી ઠંડુ વાતાવરણ મળી રહે અને પાસેના તળાવમાંથી પાણી હોવાથી તળમાં પણ પાણી છે જેથી લોકોને ફાયદો મળી શકે તે માટે આ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ સફરજની જાતની વિશેષ જાત કાશ્મીરથી ઈમ્પોર્ટ કરવામાં આવી છે. આ હાઈબ્રીડ સફરજનને વિકસાવવામાં આવશે. 42 ડિગ્રીના તાપમાનમાં પણ આ સફરજન આવતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેથી શિયાળા તેમજ ઉનાળામાં પણ આ જાતના સફરજનનો ટેસ્ટ મળશે. આ જાતના સફરજન ખુબ જ ટેસ્ટી અને ફાયદાકારક હોવાનું જાણવા મળી રહ્યું છે. કાશ્મીરથી ઈમ્પોર્ટ કરવામાં આવેલા આ સ્પેશિયલ સફરજનની જાત ગુજરાતના વાતાવરણને અનુકૂળ હોવાનું માની અને આ પ્રયાસ કરવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ પ્રવાસીઓની અવર જવર વધી છે. હવે કાશ્મીરના સફરજનની ખેતી ગુજરાતમાં પણ જોવા મળશે અને મેક ઈન ઇન્ડિયા અંતર્ગત ઉદ્યોગપતિઓ પણ કાશ્મીરમાંથી ખરીદી અને ઉદ્યોગોમાં રસ ધરાવતા થયા છે, ત્યારે કાશ્મીરી સફરજન હવે ગુજરાતમાં મળશે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.