સામાન્ય રીતે શનિવારે હનુમાનજીને લગતા ઘણા ઉપાય કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બજરંગબલીની કૃપાથી શનિવારે જે પણ પગલાં લેવામાં આવે છે તે નિશ્ચિતરૂપે સાબિત થાય છે.
આજે આ લેખમાં એ વૃક્ષના પાન વિષે વાત કરી છે જેને ઘરમાં રાખવા ખુબજ શુભ માનવામાં આવે છે અને આ સાથે-સાથે આ પાન તમને ખુબ જ ધનવાન પણ બનાવી શકે છે, તો ખાસ જાણીલો આ સરળ ઉપાય અને પાન વિષે તમેપણ, તો આવો આજે અમે તમને એક એવા જ ઉપાય વિશે જણાવીશું, જે આ દિવસે કરવાથી તમે માત્ર પૈસા જ નહીં પરંતુ જીવનની તમામ ઈચ્છા પુરી કરશે.
હિંદુ ગ્રંથોમાં પીપળના ઝાડને ખૂબ મહત્વ આપવામાં આવે છે. આ પ્રમાણે, તેમાં તમામ દેવીદેવતાઓનો તેમાં વાસ હોય છે, તેવું પણ માનવામાં આવે છે. આમ આ પાન ઘરમાં કોઈને કહ્યા વિના ઘરની તિજોરીમાં રાખી દેવા ખુબ જ શુભ માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની નજીક પીપળાનું ઝાડ રોપવું પણ સારી વાત માનવામાં આવે છે. વેદ અને ઉપનિષદ મુજબ પીપળાના ઝાડને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ગણવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ પીપળાના ઝાડ દ્વારા આપવામાં આવતા આ ઉપાયોનું નિયમિતપણે પાલન કરે છે, તો તરત જ તેના જીવનમાં બદલાવ આવે છે. દર અઠવાડિયે શનિવારે બ્રહ્મા મુહૂર્તામાં જાગવા અને પ્રથમ પીપળાના ઝાડમાંથી 11 પાંદડા તોડવા.
આ બધા પાંદડા સાફ કરી કુમકુમ અથવા અષ્ટગંધા અથવા ચંદનના મિશ્રણથી શ્રી રામનું નામ લખો. આ સિવાય આ કરતી વખતે હનુમાન ચાલીસાના પાઠ કરો. આમ આ પૂજા થઈ ગયા પછી આ પાંદડાઓની માળા બનાવો અને હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીને અર્પણ કરવાથી તમારી ધનને લગતી બધી જ સમસ્યાઓ દુર થાય છે.
આ સિવાય આ છોડ છે ખુબ જ ખાસ :
જો કોઈ વ્યક્તિના ઘરમાં વાસ્તુ ખામીની સમસ્યા હોય તો તેણે ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. આ સાથે એક બાબત એ પણ છે કે, સનાતન ધર્મમાં તુલસી ખૂબ પવિત્ર છોડ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે. લીલોતરી અને સકારાત્મક ઉર્જા માટે આપણે ઘરમાં હંમેશાં ઝાડ અને છોડ રોપતા હોય છે, જ્યાં ઘરમાં કેટલાક વૃક્ષો અને છોડ વાવવાથી આશીર્વાદ મળે છે.
જ્યારે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કેટલાક વૃક્ષો અને છોડ વાવવા અશુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અને હિન્દુ ધર્મ મુજબ વાંસનું ઝાડ ઘરમાં ન લગાવવું જોઈએ.