સામુદ્રિક શાસ્ત્રમાં હાથ, પગ અને કપાળની રેખાઓ અને નિશાનો જણાવવામાં આવ્યા છે. કહેવાય છે કે હથેળીની રેખાઓની જેમ પગની રેખાઓ પણ મનુષ્યના જીવન સાથે જોડાયેલી હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, માણસના હાથ અને પગમાં હાજર રેખાઓ અને નિશાનો દ્વારા તેના ભવિષ્યની સાથે-સાથે આર્થિક અને સામાજિક સ્થિતિનો પણ અંદાજ લગાવી શકાય છે.
જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં પણ સમુદ્રી શાસ્ત્રોનું વર્ણન જોવા મળે છે અને એવું કહેવાય છે કે તેની રચના ખુદ ભગવાન કાર્તિકેય દ્વારા કરવામાં આવી હતી. સુમદ્ર શાસ્ત્રમાં પગ પરની કેટલીક રેખાઓ અને નિશાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિના પગના તળિયા પર આવા નિશાન હોય તો આવા લોકો નજીકના ભવિષ્યમાં કરોડપતિ બની શકે છે. જાણો તમારા પગ પરની રેખાઓ શું કહે છે
શંખ અને ચક્રના નિશાનઃ
જો કોઈ વ્યક્તિના પગમાં શંખ, ચક્ર અને માછલીનું નિશાન હોય તો તેનો અર્થ એ છે કે વ્યક્તિને મંત્રી પદ મળી શકે છે. આ સાથે ચલ અને અચલ સંપત્તિ મળવાની પણ શક્યતાઓ છે.
જો કોઈ વ્યક્તિના પગની વચ્ચેથી મધ્યમ આંગળી સુધી કોઈ રેખા જાય છે, તો આવા લોકોને તેમના જીવનમાં બધી ખુશીઓ મળે છે. આવા લોકોને પોતાના જીવનમાં ધન અને સંતાનનું સુખ મળે છે.
આવા ચિહ્નો ધરાવનાર વડાપ્રધાન બને છેઃ
જો કોઈ વ્યક્તિ પર છત્ર, ચક્ર, ધ્વજ, પદ્મ અને સ્વસ્તિક વગેરે ચિહ્નો હોય તો તે વ્યક્તિ સમ્રાટ બને છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિના પગ પર હાથી, ઘોડો, પર્વત, અંકુશ, તોમર, કુંડળ, રથ, પડી વગેરેનું નિશાન હોય તો આવા લોકો વડાપ્રધાન બને છે.
જો કોઈ વ્યક્તિના પગમાં ચક્ર જમણી તરફ વળવાના નિશાન હોય અથવા તો માળા, અંકુશ વગેરેના ચિન્હો હોય તો આવી વ્યક્તિને રાજસુખ પ્રાપ્ત થાય છે.
આ લોકોના લગ્ન વહેલા થાય છેઃ
જો કોઈ વ્યક્તિના પગની તર્જનીમાં ઊભી રેખા હોય તો તેના લગ્ન જલ્દી થઈ જાય છે. સાથે જ તેની પત્ની પણ તેને ખૂબ પ્રેમ કરે છે.